૨) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરમાવે છે :
‘ખિઝાબ’ માટે ખર્ચ કરવામાં આવતો એક દીરહમ અલ્લાહ માટે (અન્ય રીતે) ખર્ચ કરવામાં આવતા એક હજાર દીરહમ કરતા બહેતર છે.
ખિઝાબના ૧૪ ફાયદા છે :
૧) કાનની બહેરાશ દૂર કરે છે.
૨) આંખનું તેજ વધે છે.
૩) નાકની ખુશ્કી (સૂકાપણું) દૂર કરે છે.
૪) મોંઢામાં ખુશ્બુ પેદા કરે છે.
૫) પેઢા મજબૂત બનાવે છે.
૬) બગલની દુર્ગંધ (બદબૂ) દૂર થાય છે.
૭) શૈતાનનો વસવસો ઓછો થાય છે.
૮) ફરીશ્તાઓની ખુશનુદીનું કારણ છે.
૯) મોઅમીનો ખુશ થાય છે.
૧૦) કાફિરો બળતરા અનુભવે છે.
૧૧) શણગાર પણ છે.
૧૨) ખુશ્બુ પણ છે.
૧૩) કબ્રના અઝાબથી મુક્તિનું કારણ છે.
૧૪) મુન્કીર અને નકીર માટે (પૂછપરછ વખતે) શરમાવવાનું કારણ છે.
- ‘ખિઝાબ’ : કોઇ તેલ કે પાઉડર વડે વાળ કાળા કરવા, વાળ રંગવાની પ્રક્રિયા, વાળ રંગવા માટેની દવા, તેલ, પાઉડર કે મહેંદી
No comments:
Post a Comment